Pitru Paksha 2025 Rashifal: આ વર્ષે પિતૃપક્ષ 7 સપ્ટેમ્બર 2025થી 21 સપ્ટેમ્બર 2025 સુધી રહેશે. પિતૃ પક્ષમાં દરેક જાતકો પોતાના પૂર્વજો પ્રત્યે સન્માન પ્રગટ કરે છે અને તેઓની આત્માની શાંતિ ઉપરાંત મુક્તિ માટે પ્રાર્થના કરે છે. આ સમયે દરેક 12 રાશિ પર અલગ અલગ પ્રભાવ જોવા મળે છે. અહીં જાણો, પિતૃ પક્ષમાં મેષથી લઇ મીન રાશિ પર કેવો રહેશે પ્રભાવ.
અહીં દરેક રાશિ માટે કેટલાંક સરળ અને સામાન્ય ઉપાય વિશે માહિતી આપવામાં આવી છે. આ સિવાય દરેક રાશિ માટે કેટલાંક સામાન્ય ઉપાયથી પિતૃઓને ખુશ કરી શકાય છે. આ માટે દરરોજ સૂર્યને જળ અર્પિત કરો. પિંડદાન વિધિ અનુસાર કરો. ગાય, શ્વાન અને કાગડાને ભોજન કરાવો. વડીલોનો આદર કરો અને માતા પિતાનું સન્માન કરો. આ ઉપાયોથી મનુષ્ય જીવનમાં સુખ શાંતિ અને પ્રગતિ આવે છે. પિતૃપક્ષમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમારાં પૂર્વજોને યાદ કરો અને દાનના કાર્યો કરો.